Sunday, 16 December 2012

એક દિવસ એક પ્રથમિક
શાળાના શિક્ષિકાએ
પોતાના વિદ્યાર્થીઓને કહ્યું
કે ચાલો બાળકો આજે તમે એક
નિબંધ લખીનેમને
આપો.નિબંધનો વિષય છે
—"જો ભગવાન તમને કાંઇ
માંગવાનું કહે
તો ઇશ્વરની પાસે તમે શું
માંગશો???"
બાળકોએ
તો ઉત્સાહમાં આવી નિબંધ
લખી આપ્યો.ત્યારબાદ
શિક્ષિકા તે નિબંધો ઘેર
તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે
તેનિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને
જોયું તો તે
શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું,"કેમ શુંથયું???કેમ
રડો છો???"
શિક્ષિકાએ કહ્યું,"હું
મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું
છું"તેમના પતિને એક કાગળ
આપતા તે બોલ્યાં'"જુઓ, તમે પણઆ
નિબંધ વાંચી જુઓ"
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
"હે ઇશ્વર જો તારે મને કાંઈ
આપવું જ હોય તો તું મને
ટેલીવીઝન (ટી.વી.)
બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ
કરવા માંગું છું. હુંટી.વીની જેમ
ઘરમાં રહેવા માંગું છું.જેને માટે
ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ
મારાં કુટુંબનાં તમામ
સભ્યો હોય.અને સાચ્ચે જ હું
ગંભીર રીતે આ કહું છું
જેથી મારા કુટુંબનાં તમામ
સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન
ખેંચી શકું. તેઓ કોઇપણ
વગરની ખલેલ પાડ્યા વગર મને
એકચિત્તે સાંભળે અને કોઇ
સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ
હોય ત્યારે પણ લોકોજેમ
તેની ખાસ સંભાળ રાખે છે તેમ
મારી પણ સંભાળ રાખે. જ્યારે
પપ્પા કામ પરથી ઘેર આવે
ત્યારે તેઓ સખત
થાકેલાહોવા છતાં હું
ટી વી બની ગયો હોવાથી મને
તેમની કંપની મળી રહે. અને હું
મારી મમ્મી જ્યારે
દુઃખી હોય કે ટેન્શનમાંહોય
ત્યારે મને અવગણવાને બદલે મને
જ જોવા ઝંખે. અને……
મારી સાથે રહેવા માટે
મારા ભાઇબહેનો લડાલડી કરે.હુંતેવું
અનુભવવા માંગું છું કે બધી જ
વસ્તુઓ એક બાજુએ મૂકીને
કુટુંબનાં સભ્યો મારા માટે
સમય ફાળવે.અને છેલ્લે
મનેટી.વી બનાવી દો જેથી હું
મારા કુટુંબને સુખ, આનંદ
આપી શકું અને તેમનું મનોરંજન
કરી શકું."
હે ભગવાન હું બીજું કાંઇ
નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે
મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર
આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા,"હે
ભગવાન! !બિચારું બાળક! !
કેવા ભયાનકમાતા-
પિતા છે !!!!!"
શિક્ષિકા ચોધાર આંસુ
સારતાં પોતાના પતિની સામે
જોયું અને દયામણા અવાજે
બોલ્યા,"આ નિબંધ
આપણા દીકરા એ લખેલો છે."

No comments:

Post a Comment